હોમ | માયગવ

Accessibility
ઍક્સેસિબિલિટી ટૂલ્સ
કલર એડજસ્ટમેન્ટ
Text Size
Navigation Adjustment
Screen Reader iconસ્ક્રીન રીડર

સંસ્કૃતિ મંત્રાલય

બનાવેલ : 16/12/2015
ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ક્લિક કરો

સંસ્કૃતિ મંત્રાલય દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ અને કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. મંત્રાલયમાં બે સંલગ્ન કચેરીઓ, છ પેટા કચેરીઓ અને 35 સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા કામ કરે છે.

દેશના વિવિધ પ્રદેશોની લોક અને પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવા માટે સાત ઝોનલ સાંસ્કૃતિક કેન્દ્રો છે. હસ્તપ્રતો માટે રાષ્ટ્રીય નિયોગ, સ્મારકો અને પ્રાચીન વસ્તુઓ માટે રાષ્ટ્રીય નિયોગ, પુસ્તકાલયો પર રાષ્ટ્રીય નિયોગ, અને ગાંધીના વારસા સ્થળ નિયોગ નામનાં ચાર રાષ્ટ્રીય નિયોગ પણ છે.

આ મંત્રાલય મૂર્ત અને અમૂર્ત વારસા અને સંસ્કૃતિ બંનેના સંરક્ષણ, વિકાસ અને પ્રોત્સાહન માટે જવાબદાર છે અને કેટલાક જ્ઞાન સંસાધન કેન્દ્રોનું સંચાલન પણ કરે છે. આ ઉપરાંત, મંત્રાલયને ગાંધીવાદી વારસાનું જતન કરવાની અને મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ અને શતાબ્દીઓની ઉજવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. મૂર્ત વારસાના સંબંધમાં મંત્રાલય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના માધ્યમથી રાષ્ટ્રીય મહત્વ ધરાવતા તમામ કેન્દ્રીય સંરક્ષિત સ્મારકોની દેખરેખ રાખે છે. તેવી જ રીતે, મંત્રાલય દેશમાં સંગ્રહાલય ચળવળને પણ પ્રોત્સાહન આપે છે અને દેશના મોટાભાગના મહત્વપૂર્ણ સંગ્રહાલયો તેના વહીવટી નિયંત્રણ હેઠળ છે. મંત્રાલય ગ્રાન્ટ-ઇન-એઇડ્સ/સહાયક અનુદાન દ્વારા પ્રાદેશિક સંગ્રહાલયોને પણ પ્રોત્સાહન આપે છે. અમૂર્ત વારસો અંગે, મંત્રાલય દ્રશ્ય અને સાહિત્યિક કલા પ્રદર્શનમાં સંકળાયેલા વ્યક્તિઓ, વ્યક્તિઓના જૂથો અને સાંસ્કૃતિક સંગઠનોને નાણાકીય સહાય આપે છે. તેવી જ રીતે મંત્રાલય તેની સાહિત્ય અકાદમી અને સંગીત નાટક અકાદમી જેવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા પુરસ્કારો દ્વારા કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને માન્યતા આપવા માટે કાર્યરત છે. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા આપણી પરંપરાઓ અને સાંસ્કૃતિક વિવિધતાના સંદર્ભમાં સમકાલીન પ્રાસંગિકતા ધરાવતા વાઇબ્રન્ટ થિયેટર મુવમેન્ટને પ્રોત્સાહન સામેલ છે.

મંત્રાલય દેશના તમામ મુખ્ય પુસ્તકાલયોના સંરક્ષક પણ છે. તે પુસ્તકાલય વિકાસ માટે ગ્રાન્ટ-ઇન-એઇડ આપતા રહે છે અને પુસ્તકાલય વિકાસ સંબંધિત તમામ નીતિ વિષયક બાબતો માટે પણ જવાબદાર છે. નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા દ્વારા મંત્રાલય દેશના તમામ આર્કાઇવલ રેકોર્ડની જાળવણી માટે જવાબદાર છે. આ મંત્રાલયની જવાબદારીમાં સારનાથ, વારાણસી અને લેહમાં સ્થિત વિવિધ સંસ્થાઓ દ્વારા બૌદ્ધ અને તિબેટીયન સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનમાં પણ સામેલ છે.

કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા તમામ લોકો માટે મંત્રાલય પાસે ખૂબ જ સુનિયોજિત ક્ષમતા નિર્માણ કાર્યક્રમ છે. આ સંદર્ભમાં સ્કૂલ ઓફ આર્કિયોલોજી, સ્કૂલ ઓફ આર્કાઈવ્સ, નેશનલ મ્યુઝિયમ ઇન્સ્ટિટ્યૂટ, એશિયાટિક સોસાયટી, મૌલાના અબુલ કલામ આઝાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન સ્ટડીઝ જેવી સંસ્થાઓનો ઉલ્લેખ છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને કલાક્ષેત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તાવિત વિવિધ અભ્યાસક્રમો પણ મંત્રાલયના ક્ષમતા નિર્માણ કાર્યક્રમોના કેટલાક ઉદાહરણો છે.

આ મંત્રાલય વિદેશમાં ભારતના મહોત્સવોનું આયોજન કરીને તેની આંતરરાષ્ટ્રીય હાજરીને ચિહ્નિત કરે છે અને આ ક્ષેત્રમાં UNESCO ના વિવિધ સંમેલનોના અમલીકરણ માટે પણ જવાબદાર છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો:

https://indiaculture.gov.in/
https://www.facebook.com/indiaculture.goi
https://twitter.com/MinOfCultureGoI
https://www.youtube.com/user/sanskritigoi

સંસ્કૃતિ એપ

https://apps.mgov.gov.in/details?appid=760